રીત  મારા   પ્રેમની   તે   ના  પિછાણી ?
વાત  મારા  દિલની  તારાથી  અજાણી?

મેં   વિધાતાએ    લખેલા   લેખ   ઘૂંટી
જિંદગીને     સાવ  હળવીફૂલ    માણી

શ્વાસની સરગમ નિરંતર   વાગશે   જો –
જિંદગીના     સૂર      લાગે   સંતવાણી

અંધશ્રદ્ધા  હો ભલે, શ્રદ્ધા     જ   જીતે
છેવટે  એને   જ   તારણહાર     જાણી

ક્યાં કશું અટકે છે કોઈના   વિના પણ?
છોડ  તું,  શાને   કરે   છે    ખેંચતાણી ?

– અમિત ત્રિવેદી