તું તો નદીની જેમ ક્યાં દોડી મળ્યા વગર?
પાછા ફરીને તે કરી ના આ તરફ નજર

અંજળ નથી કહી હું જ છળતો રહું મને
મારા અહમ્ ને છોડી ન આવું હું તુજ નગર

મંદિરમાં રોજ ભીડ થવાના શું કારણો ?
જોવા મળે છતાં પ્રભુની ચોતરફ અસર

ભીતર તો મોરના ઘણાં ટહુકા હતાં છતાં
પાછા ફરે છે મોર ત્યાં વરસાદની વગર

હું તો બધી ગઝલ લખું છું તારું નામ લઈ
મારી વ્યથા છે કે તે કદી ના કરી કદર

-અમિત ત્રિવેદી