તે    શું     કોઈના   ભરોસે   વાત   જાણી ?
રીત    મારા    પ્રેમની   તે   ના  પિછાણી ?

મેં    વિધાતાએ    લખેલા     લેખ      ઘૂંટી
જિંદગીને     સાવ       હળવીફૂલ     માણી

શ્વાસની    સરગમ   ચલાવી    સાચવે  છે
સાંભળી   લે   ત્યાં  સુધી  તું  એ  જ વાણી

અંધશ્રદ્ધા   હો     ભલે,   શ્રદ્ધા     જ    જીતે
છેવટે    એને     જ     તારણહાર     જાણી

ક્યાં  કશું  અટકે  છે  કોઈના   વિના  પણ?
છોડ  તું,  શાને    કરે     છે    ખેંચાતાણી ?

– અમિત ત્રિવેદી