……વાત જાણી ?
May 17
ગઝલ Comments Off on ……વાત જાણી ?
તે શું કોઈના ભરોસે વાત જાણી ?
રીત મારા પ્રેમની તે ના પિછાણી ?
મેં વિધાતાએ લખેલા લેખ ઘૂંટી
જિંદગીને સાવ હળવીફૂલ માણી
શ્વાસની સરગમ ચલાવી સાચવે છે
સાંભળી લે ત્યાં સુધી તું એ જ વાણી
અંધશ્રદ્ધા હો ભલે, શ્રદ્ધા જ જીતે
છેવટે એને જ તારણહાર જાણી
ક્યાં કશું અટકે છે કોઈના વિના પણ?
છોડ તું, શાને કરે છે ખેંચાતાણી ?
– અમિત ત્રિવેદી