ભીતરે     શું   વળી  રાખવું
મન કળે   તો કળી  જાણવું

ચાંદની  તો   ગમે  તે   છતાં
રાતભર  ક્યાં સુધી  જાગવું

આમ   તારા  વગર ના ગમે
ખાલીપો   કેમ   હું  ખાળવું

વાત તો   સાવ  સાચી હતી
સત્યને   ક્યાં   લગી રાખવું

પાંદડા   ડાળ  પર  ખીલશે
છાંયડે   ક્યાં  સુધી ભાગવું

બંધ  મુઠ્ઠી  સવા   લાખની
લઈ   ઉદાસી ક્ષમા દાખવું

– અમિત ત્રિવેદી