[wonderplugin_audio id=”36″]

 

છોડીને જાય છે અવાવરું ઘર,
પછી બાંધ્યા કરે છે નત નવું ઘર.

ખૂણે ખૂણે સ્મરણો બેઠાં છે,
કોણ હવે કરશે અહીં બોલતું ઘર.

સમજણ નો દીવડો પાથરે ઉજાસ,
વાટને સંકોર્યા પછી કેવું દોડતું ઘર.

ભલે દીવાલોથી બાંધેલ છે નકશા,
ધબકતા શ્ચાસોથી પછી વિસ્તરતું ઘર.

-અમિત ત્રિવેદી

સ્વર : હર્ષા વૈદ્ય
સ્વરાંકન : કલ્પક ગાંધી